Thoughts of Maadi

 

 

દાન તિજોરીવાળા કે મોટા નામ વાળા ના કરી શકે,
દાન તો મોટા મન વાળા અને ઉદાર હાથવાળા દેવો જ કરી શકે છે.
 
દાન આપવું છે , નોરતો છે આજ ;
મા આપે છે દાન , બેન ભાણીયા કાજ .
 
સારૂ થાય છે કે ખોટું થાય છે તે મને ખબર નથી
પરંતુ દેવ કરે તેવુ કોઇ ના કરે તે મને ખબર છે.
 
કર્મ નો સિધ્ધાંત છે કે પડેલા ને ચડાવે ચડેલાને પાડે
આવું જોઇ ને માણસે માણસ બનવું તેની નોંધ લેવી
 
નવા વરસ ના દરેક ને જય માડી,
દેવી રાખે દરેક ની લીલી વાડી.
 
સત્ય છૂપાવ્યું ના રહે, પ્રકાશ પડદા માં ના રહે;
પુણ્ય અને પાપ છાનું ના રહે; દેવ જે કરે તે કોઇ ના કરે.
 
પુણ્ય કરૂ છું કે પાપ કરૂ છું તે મને ખબર નથી તે મા જાણે,
પરંતુ મને સારુ લાગે તે કરૂ છું સારા અને ખોટામાં મા છે.
 
દો છો મા તમે દાન મળે છે અમોને માન,
આ છે સમજવા જેવી શાન ના કરતા ગુમાન
 
વૃક્ષ વિનાની જેમ વેલડી ચંદ્રવિનાની રાત,
ભાણતર વિનાની જિંદગી થઇ જાશે બરબાદ, માટે ભણો અને ભણાવો.
 
સત્ય નો સૂરજ કદી આથમતો નથી, અસત્ય નાં વાદળો ભલે ઘેરાય,
સત્ય સમસ્ય ઊભી ના કરે સમસ્યા નો ઉકેલ કરે તે સત્ય.
 
દેશ હોય કે પરદેશ હોય, અમીર હોય કે ગરીબ હોય,
સારા કામો ગમે ત્યાં અને ગમે તે સમયે કરી શકાય છે.
 
સુખડ નાં ઝાડ ઉપર સાંપ વીંટાય,
પરંતુ સુખડ સુગંધ ના છોડે સુખડ ઝેરીલું ના બને.
 
મેળો દેવો નો હોય કે પછી માણસ નો હોય,
પરંતુ મન મેળ કરવો, દેવો સિવાય તે સામાન્ય નથી.
 
કાયદા અને કાનૂનની સલાહ વકીલો પૈસા લઇ ને આપે છે,
દેવો જીવન જીવવા ની રાહ, રસ્તા મફ્ત બતાવે છે, માટે દેવો ના ચરણે કાયમ રહો.
 
લખાણ એક હોય કે બે હોય, સહી વિનાનું લખેલું નકામું છે,
ધન ભેગુ કરો ફાવે તેટલું પણ દાન ના કર્યું તેનું જીવન અને ધન બન્ને નકામું છે.
 
માણસ વચન બે વચન કરી શકે છે, દેવ એક વચની હોય છે.
વચન આપીને પાળે તેનુ નામ દેવ.
 
ફુલ અને ફુલઝાડ સમય આવતાં ખીલે છે અને સુકાય છે,
પરંતુ કરેલું દાન અને કર્મ ક્યારેય સુકાતાં નથી.
 
સમય પ્રમાણે સાથે રહેજો, સાચું – ખોટું તમે કહેજો,
સદાય અમારી સાથે રહો છો એ વાત નો અમને આનંદ છે.
 
સારું કર્યું કે ખોટું કર્યું સારા ખોટા નો સાક્ષી ઇશ્વર છે,
અને તે બધું જ જોવે છે, સર્વ કર્તા તો મા જ છે.
 
ઊગતા સૂરજે મા આવીયા અને દેતા માડી દાન,
માણસો શું ઓળખી શકે ? જે ને સમજણ માં નહીં ભાન.
 
દેનાર જ્યારે દે છે ત્યારે સમજવું કે,
ભગવાનની કૃપા દેનાર અને લેનાર પર થઇ છે.
 
માડી તારી વાણી રે ઊંચી ઊંચા મંદિર ને નીચાં બારણાં,
માડી તે તો દાન માં દીધા પારણાં.
 
ધર્મ એ ધન ભેગું કરવા માટે નથી,
પરંતુ ધર્મ ને ઓળખી ને કર્મ કરવા, પરમારથ કરવા માટે છે.
 
આત્મા થી ઓળખીને બોલો; અને હૃદય ના દ્વાર ખોલો,
મા ને પગે લાગીને કામ કરો; દીવો એવો કરો કે અજવાળું કાયમ રહે.
 
ખિસ્સા માં રહે, એ ભગવાન ના હોય,
પણ કપડાંને ખિસ્સા આપે એનું નામ ભગવાન.
 
દીધાં દાન મળ્યાં માન માન અને દાન મા નાં કહેવાય
બેન – ભાણેજનાં પુણ્ય થી પ્રભુતા પ્રસન્ન થાય છે.
માડી દાન દે છે, માણસો માન લે છે.
 
દિવસ હોય કે રાત હોય પણ સારા કામ ગમે ત્યારે થઇ શકે છે.
 
જે દાન થાય છે તે મા કરે છે,
જે દાન કરીને મે કર્યું તેમ કહે છે, તે માનવ કરે છે.
 
જાણે અજાણે કરેલું, કહેલું ખોટું નથી હોતું,
તો જાણે કરેલું પુણ્ય તો મા જાણે.
 
દેશ જવાય, પર દેશ જવાય; સારું કામ સાથે રખાય.
 
આંખો જોવાનું બંધ કરે, મન વિચારવાનું બંધ કરે.
તો ફક્ત તમે કંઇ કરતા નથી તેમ સમજાશે.
 
દાન દેવા માટે પૈસાની જરૂર નથી, દેવ જરૂર છે.
 
જે લોકો જાહેર દાન કરે છે તે દાન નથી,
કારણ કમાવા માટે ધન ખર્ચે છે, એવા દાન વિશે ની જરૂર નથી.
 
બીમારીમાં કે બેકારીમાં પણ,
દાન તો ગમે ત્યારે થઇ શકે છે.
 
સાચું – ખોટું ના સમજાય, કરેલું પુણ્ય – પાપ એળે ના જાય.
 
જગત રૂઠે તો રામ મનાવે છે.
પણ જેનો રોમ રૂઠ્યો હોય તો માત્ર વિનાશ ઓરે છે.
 
દાન લેવું તેના કરતા દાન દેવું સારૂ છે.
એનાં કષ્ટ મા કાપે મા ને મળજો માન.
 
હે મા ! જો તમે તમારાં બાળ ને ઘોડીયાં આપતા હો તો એ બહેનોનું અને બાળક નું સદ્ ભાગ્ય છે,
પણ જો બાળક ની માને બાધ હોય તો તે એનુ દુર્ભાગ્ય છે.
 
નવા નોરતાંમાં મા નવા દેતાં દાન. માન માં જોજો ભૂલા ના પડો,
ભલે થાય તમારું અપમાન.
 
તું ગજબ છું કિરતાર હું કરું નફરત તું કરે છે.
મને પ્યાર તું એવો છું કિરતાર.
 
ઘોડીયાં નું દાન મા આપે.
એનાં કષ્ટ મા કાપે મા ને મળજો માન.